આ વેબપેજ બનાવવા પાછળનો આશય

મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.

મિરાતે સિકંદરીની મૂળ ફારસી નકલનું ગુજરાતી કોણે કર્યું?

ઈસ ૧૯૧૪માં આત્મારામ મોતીરામ દીવાનજીએ સિકંદરના અસલ ફારસી ગ્રંથ પરથી મિરાતે સિકંદરીનું ગુજરાતી ભાષાંતર કર્યું. આત્મારામજી લખે છે કે તેમણે જેમ બને તેમ ફારસી પુસ્તકને વળગી રહીને ભાષાંતર કર્યું છે. આત્મારામજી ભરૂચના બી.એ હતા. મુંબઈ ઈલાકાના કેળવણી ખાતામાં પ્રવૃત્ત હતા અને ખગોળ વિદ્યા, ભૂગોળ વિદ્યા જેવા ગ્રંથોના કર્તા હતા.

1 comment:

  1. સરસ, ગુજરાત રાજય ની સાહિત્‍ય એકેડમીએ હવે મિરાતે સિકંદરીનો ઉર્દૂ નુવાદ છાપ્‍યો છે, એ વિશે પણ કંઇક લખશો...

    ReplyDelete