મિરાતે સિકંદરીની ગુજરાતી નકલ કોણે પ્રકાશિત કરી?
મિરાતે સિકંદરીની ફારસીમાંથી ગુજરાતી અનુવાદિત નકલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકાશિત કરી હતી. પ્રથમ આવૃત્તિ ઈસ ૧૯૧૪માં એક હજારની સંખ્યામાં બહાર પડી હતી અને તેની કિંમત એક રૂપિયાની રાખવામાં આવી હતી.મુસ્લિમોમાં સુધારા પ્રવૃત્તિ માટે સામાન્ય જ્ઞાન અને વિદ્યાનો પ્રસાર થાય તેવાં પુસ્તકો રચાવવા માટે કાઠીયાવાદના ધોરાજીના પરંતુ વેપાર અર્થે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા તથા "પૃથ્વી પ્રદક્ષિણા" નામના પુસ્તકના કર્તા મેમણ હાજી સુલેમાન શાહમહંમદ લોધીઆએ (રૂપિયા ૨૫૦૦)ની ત્રણ ટકાની સરકારી પ્રોમીસરીની નોટો ઈસ ૧૯૦૩માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને સુપરત કરી હતી. ફંડની આવકમાં વધારો થાય એ માટે સોસાયટીએ તે જ વર્ષમાં આ નોટો વેચી તેનાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સવા ચાર ટકાના રૂપિયા ૨૨૦૦ના ડિબેન્ચરો લીધા હતા. તેના વ્યાજમાંથી "મેમણ હાજી સુલેમાન શાહમહંમદ લોધીઅ ગ્રન્થ માળા" ના નામથી પુસ્તકો રચાવી સોસાયટીએ છપાવ્યા હતા. આ ક્રમમાં મિરાતે સિકંદરી પણ ફારસીમાંથી ગુજરાતીમાં ભાષાંતરિત કરીને છપાવવામાં આવ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment