મિરાતે સિકંદરીનું ફારસીમાંથી અંગ્રેજી ભાષાંતર થયું હતું. આત્મારામ દીવાનજી આની વિગત બયાન કરતા લખે છે કે આ ગ્રંથ ઘણો અગત્યનો હોવાથી એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા મી. એડવર્ડ થોમસે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈંડીયાને અરજી કરી હતી અને તે ઉપરથી સરકાર તરફથી મદદ આપવાનો ઠરાવ થયો હતો. આનું ભાષાંતર પ્રોફેસર ડોસનને સોંપવામાં આવ્યું હતું. એનું ભાષાંતર છાપખાનામાં હતું અને લગભગ પુરૂં થયું હતું તે અરસામાં એકાએક એ દેવલોક થયા. ત્યાર પછી સર ક્લાઈવ બેલીને એ પુસ્તક પુરૂં કરવાનું કામ સોંપવામાં આવ્યું, પણ એવામાં હૈદરાબાદના સર સાલારજંગ તરફથી નવી પ્રત મળી આવી. આ પ્રત જોતા સર ક્લાઈવને અગાઉ ડોસને કરેલા ભાષાંતરમાં ઘણો ફેર માલૂમ પડ્યો અને તેથી તેમણે નવેસરથી ભાષાંતર કરી પુસ્તકના આકારમાં છપાવ્યું. પણ ક્લાઈવ બેલી સાહેબનું ભાષાંતર પણ મહમૂદ ત્રીજા સુધીનું જ હતું. છેલ્લા બે સુલતાનના સમયના ઈતિહાસનું ભાષાંતર તેમના અકાળ મૃત્યુના કારણે શક્ય બની શક્યું નહી.
આ કારણથી કાઠિયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ વોટસને પોતે આ આખા પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો વિચાર કર્યો. પણ અતિશય કામના બોજાને લીધે તથા નાદુરસ્ત તબિયતને લીધે એ કામ તેમનાથી થયું નહીં ત્યારે તેમણે મી.ફઝલુલાહ લુતપુલા ફરીદીને એ કામ ઉપાડી લેવાનું સૂચવ્યું. અને પછી મી. ફઝલુલાહ ફરીદીએ બહુ મહેનતથી મિરાતે સિકંદરી પુસ્તકનું સંપૂર્ણ અંગ્રેજી રૂપાંતર કર્યું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment