આ વેબપેજ બનાવવા પાછળનો આશય

મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.

મિરાતે સિકંદરી શું છે?

મિરાતે સિકંદરી એ ગુજરાતના મુસ્લિમ સલ્તનતકાલીન ઈતિહાસનું આધારભૂત પુસ્તક છે. અમદાવાદની સલ્તનતના દસ પુસ્તકો લખાયા છે તેમાં મિરાતે સિકંદરી શરૂથી અંત સુધીનો સંપૂર્ણ ગ્રંથ છે. મિરાતે સિકંદરીનો મૂળ ગ્રંથ ઈસ ૧૬૧૧માં ફારસી ભાષામાં રચાયો હતો. ગુજરાતી મિરાતે સિકંદરી પહેલી અને છેલ્લી વખત સન ૧૯૧૪માં પ્રકાશિત થયું હતું.

No comments:

Post a Comment